Sunday 6 November 2016

શ્રી જલારામ બાપા વિશે ટૂંક માઁ પરીચય :

જન્મ તારીખ-04/11/1799, સોમવાર, અભિજીત નક્ષત્રમાં વિક્રમ સંવત-1856ના કારતક સુદ સાતમ,
માતા :- શ્રી રાજબાઈ ઠક્કર
પિતા :- શ્રી પ્રધાન ઠક્કર
જન્મ સ્થળ :- ગામ વિરપુર
જનોઈ સંસ્કાર સંવત :-1870
લગ્ન સંવત :- 1872 , આટકોટ ના શ્રી પ્રાગજી સોમૈયા ની સુપુત્રિ શ્રી વીરબાઇ માં સાથે
પત્ની :- શ્રી વીરબાઈ ઠક્કર
સંવત :-1873 શ્રી જલારામ નો પ્રથમ પરચો
પ્રભુ એ પત રાખી
સંવત :- 1874 ચારે ધામ ની જાત્રા કરી., ફતેપુર ના ભક્ત શ્રી ભોજલરામ પાસે ગુરૂ કંઠી બંધાવી.
સંવત:-1876 મહા સુદી 2 તારીખ:-18/11/1820 સોમવાર ના શુભ દિવસે સદાવ્રત ની શરૂઆત કરી
સંવત :- 1877 બાપા નુ બિરુદ પ્રાપ્ત થયું !
સંવત :- 1878 જલા સો અલ્લા કહેવાયા
સંવત-1886 સાધુ સ્વરુપે ભગવાન આવ્યા વીરબાઇ મા ની માંગણી કરી છેવટે "ઝોળી ધોકો" આપ્યા
સંવત :-1901 જામનગર મહારાજા રણમલ જી ના દરબાર માં બાપા ના હાથે વસ્ત્ર દાન વસ્ત્રો ખુટયા જ નહી
સંવત :-1934 થાણા ગાલોળ ગામ ના જીવરાજ વડાલિયા ની ખાલી કોઠીયો બાપા ની લાકડી ના સ્પર્શ થી અનાજ થી ભરાઇ ગઇ
સંવત :-1835 કારતક વદી નોમ સોમવાર તારીખ-18/11/1878 વીરબાઇ માં નો વૈકુંઠ વાસ.
સંવત :-1837 મહા વદી દશમ બુધવાર તારીખ-23/02/1881 ભજન ગાતા ગાતા 81 માં વર્ષ એ શ્રી જલારામ બાપા નો વૈકુંઠ વાસ.
સ્થળ :- વિરપુર
સંતાન :- એક દીકરી - નામ - જમના બેન

Sunday 30 October 2016

Happy diwali to you and your family

જીતી ને ઝુકીએ..
અને..

હસી ને હારીયે..!!
સંબંધો ને સોના ના વરખ
થી નહિ.... પણ,
હૈયા ના હરખ થી શણગારીએ...💐

હેપી દીપાવલી...



Saturday 1 October 2016

Saturday 20 August 2016

હેપ્પી બથૅડે ટુ બક્ષીબાબુ.....

છોકરાઓની દુનિયા જુદી છે. પ્યારથી જિંદગીના સબક શિખાતા નથી. એક જ માર્ગ શીખવાનો, જિંદગીને અને માણસોને સમજવાનો : અપમાનબોધ. રોમાન્સ પછી આવે છે, રોટી પહેલી આવે છે. – બક્ષીનામા

હેપ્પી બથૅડે ટુ બક્ષીબાબુ
  
કદાચ એટલે જ શિશિર રામાવત લિખિત અને
પ્રતીક ગાંધી નિમિૅત મોનોલોગ ત્રણ ત્રણ
વખત માણ્યાં પછી પણ તૃપ્તિ નથી.


લગભગ તેર વરસની ઉંમરે 'પેરેલિસિસ' વાંચેલી ત્યારે હરામ બરાબર જો કંઈ પણ સમજાયું હોય તો. એ પછી તો બમણાં જોરથી વાંચતાં ગયાં. એ પાત્રો અમારાં આંતરમનનો એક ભાગ બની ગયાં હતાં.
ટુંકમાં ભલે લેખક નાં બની શકીએ, પણ બક્ષીનાં
વાચક હોવું, એ પણ ઝનુની વાચક હોવું, કંઇ જેવું
તેવું ગૌરવ છે!

Tuesday 9 August 2016

10મી ઑગસ્ટ, ૧૯૪૨

અમદાવાદ – ૯મી ઑગસ્ટ, ૧૯૪૨નો રવિવાર એટલે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામને નિર્ણાયક વળાંક આપનાર ક્રાંતિકારી-ઐતિહાસિક દિવસ. સમગ્ર દેશની જેમ અમદાવાદ પણ ‘અંગ્રેજો ભારત છોડો’ના નારાથી ગૂંજી ઉઠ્યું હતું.
મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે ૯મી ઑગસ્ટ, ૧૯૪૨થી ભારત છોડો આંદોલન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ નિર્ણયની જાહેરાત ૧૭મી જૂન, ૧૯૪૨ના રોજ જવાહરલાલ નહેરૂએ કરી હતી. આ જાહેરાત સાથે જ આંદોલનની તૈયારીઓ શરૂ થઈ ગઈ. બ્રિટિશ શાસકોએ પણ આંદોલન સામે પહોંચી વળવાની તૈયારી કરી લીધી. તેથી પોલીસે મહાત્મા ગાંધી, નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, સરોજિની નાયડૂ સહિત મુખ્ય નેતાઓની ૯મી ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ સવારે છ વાગ્યે જ દિલ્હીના બિરલા હાઉસ ખાતેથી ધરપકડ કરી લીધી.
આ બાજુ અમદાવાદમાં ૯મી ઑગસ્ટના રોજ સવારથી જ વાતાવરણ ગરમ હતું. ઠેક-ઠેકાણે મોર્ચાઓ નીકળવાનાં શરૂ થઈ ગયાં. સમગ્ર શહેરમાં બંધની સ્થિતિ હતી. મિલ-કારખાનાઓ, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો, સરકારી-ગેરસરકારી ઑફિસો.. દરેક સ્થળે વિદ્યાર્થીઓએ બંધ કરાવ્યું. તે વખતે અમદાવાદમાં માત્ર ચાર કૉલેજો હતી. ગુજરાત કૉલેજ, એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સ, એલ. ડી. આર્ટ્સ કૉલેજ તથા સર એલ. એ. શાહ લૉ કૉલેજ. નાની-મોટી 30-35 સ્કૂલો હતી. વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ કરતુ હતું રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળ. બીજી બાજુ પોલીસે અમદાવાદમાં ભદ્ર ખાતે આવેલ કોંગ્રેસ હાઉસને સીલ કરી ગણેશ વાસુદેવ માવળંકર સહિત મુખ્ય નેતાઓની સામૂહિક ધરપકડ કરી.
શહેરની પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈ બ્રિટિશ શાસકોએ બપોર બાદ પોલીસની મદદે સેનાને બોલાવી. માંડવીની પોળ, આસ્ટોડિયા, રાયપુર, ખાડિયા, ગાંધી રોડ જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવો મુશ્કેલ થઈ પડ્યુ હતું. સાંજે લગભગ પાંચ વાગ્યે ખાડિયા પોસ્ટ ઑફિસ પાસે આંદોલનકારીઓનો મોટો મોર્ચો નિકળ્યો. પોલીસે આ મોર્ચા ઉપર ગોળીબારી કરી કે જેમાં એક યુવાન ઉમાકાંડ કડિયા શહીદ થઈ ગયો. કડિયા આ આંદોલનમાં અમદાવાદના પ્રથમ શહીદ તરીકે નામ નોંધાવી ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં. તેઓ રાઇફલ એસોસિએશનના તે વખતના સચિવ હતાં. સાંજે સાત વાગ્યે તો શહેરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું.
બીજા દિવસે 10મી ઑગસ્ટે સવારે પોલીસે ગુજરાત કૉલેજ સંકુલ તથા હોસ્ટેલ ઉપર લાઠીચાર્જ અને ગોળીબાર કર્યું. તેથી સમગ્ર શહેરમાં ગુસ્સો ફાટી નિકળ્યો. આ ઘટનાની વિરુદ્ધ લૉ કૉલેજ ખાતેથી વિદ્યાર્થીઓએ એક જુલૂસ કાઢ્યો કે જે ગુજરાત કૉલેજ પહોંચ્યો. વિદ્યાર્થીઓએ કૉલેજ સંકુલમાં ઘુસવાની કોશિશ કરી, પરંતુ અંગ્રેજ ડીવાયએસપી તેમજ પોલીસની ટુકડીએ તેમને રોક્યાં. જુલૂસમાં લગભગ એક હજાર વિદ્યાર્થીઓ હતાં. આગળની હરોળમાં વિનોદ કિનારીવાલા સહિત કેટલાંક વિદ્યાર્થીઓ હાથે ત્રિરંગા સાથે હતાં. અંગ્રેજ સાર્જંટે વિદ્યાર્થીઓના હાથમાંથી રાષ્ટ્ર ધ્વજ છિનવવાનો પ્રયત્ન કર્યો. તેથી પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝડપ થઈ. આક્રોશિત વિદ્યાર્થીઓએ પોલીસ ઉપર જોરદાર પત્થરમારો કર્યો. તેથી પોલીસે સીધું ગોળીબાર શરૂ કર્યું. આ ગોળીબારમાં એક ગોળી વિનોદ કિનારીવાલાને લાગી અને તેઓ કૉલેજ સંકુલમાં જ શહીદ થઈ ગયાં. ગોળીબારમાં અનેક વિદ્યાર્થીઓને ઈજા પણ થઈ. પોલીસના દમન અને કિનારાવાલાની શહાદતથી આંદોલનકારિઓનો રોષ વધુ ફાટી નિકળ્યો. 29મી ઑગસ્ટે યુવતીઓના એક જુલૂસે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ઇમારત ઉપર રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો.
9મી સપ્ટેમ્બરે આંદોલનને એક મહીનો પૂરો થતા શહેરમાં સમ્પૂર્ણ હડતાળ રહી અને ઠેર-ઠેર જુલૂસો નિકળ્યાં. પોલીસે આંદોલનકારીઓ ઉપર મન મૂકીને દંડા વરસાવ્યાં. 15મી સપ્ટેમ્બરે વિદ્યાર્થીઓએ ગુજરાત કૉલેજમાં ઘુસી જોરદાર તોડફોડ કરી. 20મી સપ્ટેમ્બરની રાત્રે ખાડિયા-કાળુપુરમાં વિદ્યાર્થીઓએ મોર્ચો કાઢ્યો. કર્ફ્યૂ લદાયા બાદ લોકોએ ધાબે ચઢી અંગ્રેજી શાસન વિરુદ્ધ નારાઓ લગાવ્યાં. 21મી સપ્ટેમ્બરે સરસપુર ખાતે એક કાર્યક્રમ યોજાયું કે જ્યાં આંદોલનકારીઓએ ટેલીફોનના વાયરો તોડ્યાં અને પોસ્ટ ઑફિસને આગ લગાવી દીધી. 25મી સપ્ટેમ્બરે આર. સી. હાઈસ્કૂલ ઉપર રાષ્ટ્ર ધ્વજ લહેરાવાયું. આંદોલન દરમિયાન શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકાઓ કરાયાં. ઠેર-ઠેર સરકારી સમ્પત્તિઓને બૉમ્બ ધડાકાઓ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું. બૉમ્બ બનાવવાનું કામ વિદ્યાર્થીઓ પોતે જ કરતા હતાં. 30મી સપ્ટેમ્બરે રાયપુર પિપરડીની પોળમાં નરહરિપ્રસાદ રાવલ તથા નંદલાલ જોશી નામના બે યુવાનો બૉમ્બ બનાવતી વખતે થયેલ ધડાકામાં ઈજાગ્રસ્ત થઈ ગયાં કે જેમાં શિહોર (ભાવનગર)ના નંદલાલ જોશીનું ઘટનાસ્થળે મોત થઈ ગયું, જ્યારે થોડાંક દિવસ બાદ નરહરિપ્રસાદ રાવલનું પણ અવસાન થઈ ગયું.
શહેરની અશાંત પરિસ્થિતિને જોતાં 9મી ઑગસ્ટથી ચાલતા કર્ફ્યુની અવધિ વધુ એક અઠવાડિયા લંબાવી દેવામાં આવી. વિદ્યાર્થીઓએ આંદોલન દરમિયાન માણેકચોક ખાતે આવેલ પોસ્ટ ઑફિસને નિશાન બનાવી. તે પછી શહેરની મોટાભાગની પોસ્ટ ઑફિસે અનિશ્ચિતકાળ માટે બંધ કરી દેવામાં આવી. આ દરમિયાન રાયપુર દરવાજા ખાતે આવેલી પોસ્ટ ઑફિસ લૂંટવાનો પ્રયત્ન પણ કરાયો. આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના કાર્યક્રમો દ્વારા બ્રિટિશ શાસકો તેમજ પોલીસના નાકે દમ કર્યું. વિદ્યાર્થીઓએ આંદોલનને સફળ બનાવવા શક્ય પ્રયત્નો કર્યાં. દરમિયાન જ્યારે આંદોલનકારીઓને ખબર પડી કે માણેકચોક ખાતે આવેલ શૅર બજારમાં ગુપચુપ સોદાઓ થઈ રહ્યાં છે, તો વિદ્યાર્થીઓએ બજાર પર હુમલો કરી તેને બંધ કરાવ્યું. આંદોલનના તે તબક્કામાં શહેરની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે દરરોજ બપોરે 12થી 3 વાગ્યા દરમિયાન બજારો બંધ જ રહેતાં. વિદ્યાર્થી હડતાળ તો 9મી ઑગસ્ટથી ચાલુ જ હતી. મિલો પણ તે જ દિવસથી બંધ હતી. અમદાવાદ મજૂર મહાજન સંઘે 23મી નવેમ્બરથી મજૂરોને કામ ઉપર પરત ફરવાની અપીલ કરી. સાડા ત્રણ માસ બાદ મિલો પુનઃ ચાલુ થઈ.
1942માં ભારત છોડો આંદોલન દરમિયાન અમદાવાદમાં દિવાળી નહોતી ઉજવાઈ. શહેરમાં કોઈએ પણ ફટાકડાં ફોડ્યાં નહીં, પણ દિવાળીના તરત બાદ ઠેર-ઠેર બૉમ્બ ધડાકાઓ શરૂ થયાં. આંદોલનકારીઓએ અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કમ્પની એટલે કે એઈસીના છ સબ સ્ટેશનોને બૉમ્બથી ઉડાવી દીધાં. 7મી ડિસેમ્બરે બપોરે ત્રણ વાગ્યે દાણાપીઠ (ખમાસા) ખાતે આવેલ દસક્રોઈ મામલતદાર કચેરીને પેટ્રોલ છાંટી સળગાવી દેવાઈ. 9મી ડિસમ્બરે આંદોલનને ચાર માસ થતાં અનેક કાર્યક્રમો યોજાયાં કે જેમાં ભારે પત્થરમારો તથા બૉમ્બ ધડાકાઓ કરવામાં આવ્યાં. આ દરમિયાન ઢાળની પોળમાં રહેતાં વિદ્યાર્થી રસિકલાલ જાની પોલીસની ગોળીએ વિંધાઈ શહીદ થઈ ગયાં.
9મી જાન્યુઆરી, 1942ના રોજ આંદોલનને પાંચ માસ પૂર્ણ થતા રાયપુર શામળાની પોળ પાસે યોજાયેલ કાર્યક્રમમાં પોલીસ ગોળીબારમાં સિટી હાઈસ્કૂલના દસમા ધોરણના વિદ્યાર્થી ગુણવંતલાલ માણેલકલાલ શાહની છાતીની આરપાર ગોળી નિકળી ગઈ. બદા પોળ-ઢાળની પોળમાં રહેતાં ગુણવંતલાલ શાહ શહીદ થઈ ગયાં. બીજા દિવસે 10મી જાન્યુઆરીએ કર્ફ્યૂ દરમિયાન ખાડિયામાં સુથાવાડાની પોળમાં 15 વર્ષના પુષ્પવદન ત્રિકમલાલ મહેતાએ જેમ બારીમાંથી બહાર જોયું કે અંગ્રેજી અધિકારીએ ગોળી ચલાવી દીધી અને પુષ્પવદન શહીદ થઈ ગયો. 9મી માર્ચે શામળાની પોળના નાકે પોલીસ ગોળીબારમાં વસંતલાલ મોહનલાલ રાવળ નામનો વિદ્યાર્થી શહીદ થઈ ગયો. આંદોલનનો આ સિલસિલો સતત ચાલતો રહ્યો. પાંચ વરસ સાત દિવસ બાદ સ્વાતંત્ર્ય પાંચ વરસ સાત દિવસ બાદ ભારતમાં સ્વાતંત્ર્યનો સૂર્યોદય થયો, પણ આ સ્વાતંત્ર્યનો પાક્કો પાયો નાંખનાર ભારત છોડો આંદોલનમાં અમદાવાદના વિદ્યાર્થીઓનો મહત્વનો ફાળો રહ્યો કે જેને ક્યારેય ભુલાવી નહિં શકાય. ગુજરાત કૉલેજ સંકુલ ખાતે સ્થાપિત શહીદ વીર કિનારીવાલાનું સ્મારક આજે પણ તે ઐતિહાસિક-ક્રાંતિકારી સંસ્મરણો તાજા કરે છે.

Thursday 28 July 2016

#‎મદારી‬ (Madaari)

  ઈરફાન ખાન એની એક્ટીંગ, રીયલ ઈમોશન્સ અને એટ અ ટાઈમ પરફોર્મન્સ થી જ તમને એના ફેન બનાવી દે એવો લાજવાબ અભિનેતા છે એ વાતમાં કોઈ બે મત નથી અને એક વર્ષની અંદરના ગાળામાં આવેલી " તલવાર " તેમજ " જઝ્બા " અને પછી " મદારી " એ તેની યશકલગીમાં એક વધુ ઉમેરાયેલું પીંછું છે ... અલબત્ત એના તમામ મુવિઝમાં એનો અભિનય દિલધડક, અફલાતૂન અને સદાબહાર જ હોય છે .
એક સામાન્ય વ્યક્તિ ધારે તો આખી ગવર્મેન્ટ અને સિસ્ટમને હલાવી દે અને ભલભલા વીઆઈપીઓને પણ ધૂળચાટતા કરી દે એવી તાકાત ધરાવતો જ હોય છે .
પિક્ચર જોતી વખતે ક્યાંક ક્યાંક " વેડનસડે " વાળા નાસિરુદ્દીન શાહ યાદ આવી જાય ... બાળ કલાકાર નો રોલ ભજવતો નાનકડો " વિશેષ બંસલ " પણ ઈરફાનનો વખાણવા લાયક સાથ આપે છે ....
એક પિતાના રોલ તરીકે ઈરફાનનો અભિનય શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી .... ગ્રે શેડ ની એક્ટીંગમાં પણ બંદો બાજી મારી જાય છે ... ડગલે ને પગલે આવતા પાવરફુલ પંચ જેવા ડાયલોગ ; ઈરફાન અને રોહનની રાજસ્થાનમાં ટ્રેનમાં થતી વાતો અને પિક્ચરનો ભવ્ય અંત પિક્ચરનું જમા પાસું છે ....
પિક્ચર તમને થ્રીલ કરાવશે ... સસ્પેન્સ પણ લગાડશે .... રડાવશે પણ .... હેટ્સ ઓફ ટુ ડાયરેક્ટર " નિશીકાંત કામત " સાહેબ અને સ્ટોરી રાઈટર " શૈલા કેજરીવાલ " મેમ ..... વન્ડરફૂલ વર્ક ....
મૂવીના અમુક યાદગાર પંચ :-
" सरकार भ्रष्ट है ऐसा नहीं है ; भ्रष्टाचार के लिये ही सरकार बनी है "
" गलती तुम लोगों की है ; हम तो सपने दिखाते हैं और आप लोग सपने देखने भी लगते हों "
" सरकार कोन्ट्राक्टर है तो ओपोझिशन ठेकेदार है ; हम सब मिल बांट के ही खाते हैं "
" કોઈ પણ પ્રકારના રિવ્યુની રાહ જોયા વગર જ જોઈ અવાય એવું પિક્ચર અને કદાચ ઈરફાન ના ફેન તરીકે હું આ મૂવી જોવામાં થોડો મોડો પડ્યો "

‪#‎Excellent‬

Tuesday 26 July 2016

Remember & Never Forget Today is the 17th anniversary of named after the success of Operation in 1999.

Thursday 30 June 2016

Thank you so much Lime Light Production

Thank you so much Lime Light Production for make me a part of promotion "Hu tu tu tu" Thank you Shital shah


Wednesday 27 April 2016

Happy birthday and many many happy returns of the day Great gujarati actor Pratik Gandhi
"Hu Chandrakant Bakshi"
"Bey Yaar"
"Mohan No Masalo"

Saturday 16 April 2016

Thank you so much Gujarati Film Industry for make my day amazing

                   
Thank you so much these all person of gujarati film industry for make my birthday amazing. I have no words for thank you all but I heartily thanksful to all of you for your great wishes on this special day and I also thankful to all my friends ,family, neighbors and all for  give me thousands of wishes .


1)      Manthan thakkar (actor and event manager)
2)      Pratik Gandhi ( Tremendous gujarati actor of film “Bey yaar”,”Mohan no masalo”,”Hu Chandrakant Bakshi” and upcoming great movie “Wrong Side Raju”)
3)      Hemang Dave  ( Tremendous gujarati actor of film “Bey yaar”,”Bas Ek Chance”, and upcoming great movie ”Romeo And Radhika”,”Thai Jashe”)
4)      Kalpesh Patel  (Actor of film “3 dobaa” and play “Haiyana Hastakshar”)
5)      Nishant Dave(Director of upcoming gujarati  movie “Aapde Toh Chhie Bindaas”)
6)      Vyas Chirag (Gujarati actor)
7)       Praja Prakash Jadawala(Tremendous gujarati actor and Owner of Praja Arts)
8)      Padmesh Pandit ( Well Known Gujarati actor of film “Aa Te Kevi Dunniya”)
9)      Ratan Rangwani (Well  known Gujarati Actor)
10)   Haresh Dagia (Actor of film “3 dobaa”,”Romance Complicated”)
11)   Haritrushi Purohit (Well  known Gujarati Writer)
12)   Vinay Dave (Well  known Gujarati Writer)
13)   Abhay Chandarana (Actor of film “Hu tu tu tu”)
14)   Gopal Barot (Well  known Gujarati Actor and son of Prashant Barot )
15)   Shyam Barot (Well  known Gujarati Actor and son of Prashant Barot )
16)   Jay Chawda (Gujarati Singer)
17)   Amish Tanna (Well  known Gujarati Actor)
18)   Vishal Vaishya( Actor of “Premji: Rise of a Warrier”)
19)   Vijay Khatri Jajal (Producer of “Aa Te Kevi Dunniya”)
20)   Vinesh Prabhakar (Director)
21)   Jitu Nayee (Makeup Men) and many more..




And I also never forget these tremendous personalities
1)      Vijay Thakkar Grand Master (Motivator)
2)       Vijay Khatri ( Arvindbhai Khatri Sons.pvt.Ltd, Ahmedabad )
3)       Dr.Vidhut Desai ( Head B.j Medical College and Pallav Group , Maninagar)
4)      Dr. Hema Tejas (Writer-Artist)
5)      Milan Trivedi (Artist-Writer-Comedian)
6)      Abhimanyu Modi (Writer of “TinderBox” in Sandesh)
7)      Devesh Mehta (Writer of “AghocharVishwa” in Gujarat Samachar)
8)      Shirish Kashikar (Press Owner)
9)      Nishaben Jha (Maninagar Bjp Leader)
10)   Yagnang Pandya (Maninagar Bjp Vice President)
11)   Dadhichi Thacker( Writer,Maninagar Bjp,Actor)
12)   Hitesh Thakkar (International Lohana President)
13)   Rakesh Poojara (Actor-Writer-Director-Producer)
14)   Maninagar Bjp Team
15)   Chhaya Brothers Ahmedabad
16)   Ankit Patel (Online Gujarati Radio)
17)   Sweety Shrivastva(Actor-writer)
18)   Varsha Thakkar (All india womans conference President ) and all..



 

Saturday 9 April 2016

Congratulation team "HU TU TU TU" for completing 100 days in theatre


Friday 25 March 2016

Chandrakant bakshi-amazing gujarati

બક્ષીવાણી
* હું જીવું છું. મને ફાવે એમ જીવું છું. બીજા કોઈ ને તકલીફ આપતો નથી, અને બીજા કોઈ ને સુધારી નાખવાનો જુલમ હું કરતો નથી. મને ગમે છે, માટે સારુ છે. કોઈ ને ગમાડવા માટે હું જીવતો નથી...કોઈ ને ખરાબ ન લાગે એ માટે હું જીવતો નથી. હું મારી જીંદગી જીવું
છું... અને મને એક જ જીંદગી મળી છે. મારે કેમ જીવવું એ પણ બીજા લોકો નક્કી કરી આપશે ?
-'સમકાલ'માં બક્ષી

*કેટલા સારા થવું, કેટલા ખરાબ થવું, કેટલું સાચું બોલવું, કેટલું જુઠ્ઠુ બોલવું - આ પ્રશ્નો મારે માટે જીવનના સૌથી અઘરા પ્રશ્નો રહ્યા છે
- 'બક્ષીનામા'માં બક્ષી

Sunday 3 January 2016

With Team  of  Urban Gujarati Film " Hu Tu Tu Tu ".
Left To Right (Ankit Joshipura, Parth Oza, Sanket Thakkar, Shaina Shah, Raunaq Kamdar ) Such a Nice Film by First Lady Director Shital Shah, Amazing concept and Nice Music and All the Best Team