Monday 16 February 2015

આવતીકાલે શિવરાત્રી જેવુ પાવન પર્વ હોય, ઈશરદાન ગઢવીએ એક ડાયરામાં કહેલી મહાદેવ ભોળાનાથની વાત યાદ આવે છે.
એક દિવસ નારદજીને કોઈ એ પુછ્યું કે બીજા કોઈ દેવો નહીં અને શંકર ભગવાનને જ કેમ મહાદેવ કહેવામા આવે છે?
અને ત્યારે નારદજીએ બહુ સુંદર જવાબ આપ્યો હતો..
શંકર ભગવાન ભોળા નાથ છે,જલ્દી પ્રશન્ન થઈ જાય છે,
.
જે પોતાના કંઠ માં નીલવર્ણું હળહળતું વીષ લઈ ને બેઠા છે,
.
જેની માથે સાક્ષાત ગંગાજી બિરાજે છે,
.
જે પોતે તો પૂજાય પરંતુ તેના પત્ની પાર્વતી પણ પૂજાય,
.
તેમના પત્ની તો પૂજાય પરંતુ તેમના બાળકો ગણેશ અને કાર્તિકેય પણ પૂજાય,
.
તેના બાળકો તો પૂજાય તેની વહુઓ રિદ્ધિ સિદ્ધિ પણ પૂજાય,
.
તેની વહુઓ તો પૂજાય તેના પૌત્રો લાભ અને શુભ પણ પૂજાય,
.
તેના પૌત્રો તો પૂજાય તેનું વાહન નંદી પોઠિયો પણ પૂજાય,
.
તેનું વાહન તો પૂજાય તેનું શસ્ત્ર ત્રિશુલ પણ પૂજાય.
.
તેનું વાહન તો પૂજાય તેના ઘરેણાં એટલેકે નાગ દેવતા પણ પૂજાય
.
બીજા કોઈ દેવના પુત્રો, વહુઓ કે પૌત્રો પૂજાતા નથી
.
અને આમ જેનું સર્વત્ર પૂજાય તેવા દેવ ને મહાદેવ કહેવાય...
.
જય ભોલેનાથ.....
.
દરેક મિત્રોને શિવરાત્રીના પાવન પર્વની આગોતરી શુભેચ્છાઓ...!!

No comments:

Post a Comment