Thursday 20 August 2015

હેપ્પી બથૅડે ચંદ્રકાંત બક્ષી

હેપ્પી બથૅડે ટુ બક્ષીબાબુ....
ચંદ્રકાંત બક્ષી એટલે એવું નામ કે તરુણવયે અમે
એનાં જેવું બનવાનું સપનું જોયું તેમજ યુવાનીમાં
એનાં જેવું લખવાની કોશિષ કરી.
એક ઉંમર  કૈ બક્ષીએ મગજનો સંપૂણૅ કબજો
લઇ લીધો હતો. જીવન જીવવું તો બક્ષી જેવું.
'બક્ષીનામાં' અમારાં માટે ગીતા હતી ને
કૃષ્ણરુપે હતાં ખુદ બક્ષી. જો કે બહારની
દુનિયામાં અમારો પ્રવેશ થાય એ પહેલાં જ
બક્ષી તો ફાની જગતને અલવિદાં કહીંને
સ્વગૅપ્રવેશ કરી ચૂકયાં હતાં. એ એક અફસોસ
કાયમ રહ્યો છે.
કદાચ એટલે જ શિશિર રામાવત લિખિત અને
પ્રતીક ગાંધી નિમિૅત મોનોલોગ ત્રણ ત્રણ
વખત માણ્યાં પછી પણ તૃપ્તિ નથી.(આણંદમાં
તો આ નાટકનું આયોજન પણ  મિત્રોએ કયુૅ
હતું.)
 લગભગ તેર વરસની ઉંમરે 'પેરેલિસિસ' વાંચેલી ત્યારે હરામ બરાબર જો કંઈ પણ સમજાયું હોય તો. એ પછી તો બમણાં જોરથી વાંચતાં ગયાં. એ પાત્રો અમારાં આંતરમનનો એક ભાગ બની ગયાં હતાં.
ટુંકમાં ભલે લેખક નાં બની શકીએ, પણ બક્ષીનાં
વાચક હોવું, એ પણ ઝનુની વાચક હોવું, કંઇ જેવું
તેવું ગૌરવ છે!

No comments:

Post a Comment