Friday 14 August 2015

શહીદી ભુમિ ભારત...!!



એક સમય હતો, જયારે ભારત માટે કહેવાતું કે તેના દરેક વૃક્ષની ડાળ પર સોનાના પંખી/પક્ષીઓ બેઠાં રહેતા હતાં.
પણ આજ 15મી ઓગસ્ટ, વાત બે ક્રાંતિવીરોની કરવી છે.
* ચંદ્રશેખર...
15
વર્ષના ચંદ્રશેખરને જયારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં (સવિનય કાનુનભંગ ટાણે) ત્યારે અંગ્રેજ જજે સૌ-પ્રથમ નામ પૂછયું, સહેજ પણ ડર્યા વગર ચંદ્રશેખર બોલ્યા.."" આઝાદ ! ""
ત્યારબાદ જજે પીતાનું નામ પૂછયું, ત્યારે શેખરે જવાબ આપ્યો કે "" સ્વતંત્ર !"" (વાહ ચંદ્રશેખર વાહ !!! મિત્રો આવા હતા ચંદ્રશેખર સાહેબ...)
* શહીદ ભગતસિંહ
જેમનું નામ મુખ પર લેતાં જુસ્સો આવી જાય, ને આપણી અંદર એક અલગ પ્રકારનું જનુન આવી જાય.
ભગતસિંહ માટે અમારા સોરઠના એક કવિ લખે છે કે,
"
....પાઘ પંજાબી, પાઘડી વાળા, ને ' પા-ઘડી ' જીવ્યા..!."
ભગતસિંહ માત્ર ૨૪-૨૫ વર્ષની ઉંમરે ફાંસીના માચડે ચડી શહીદ થઈ ગયા હતાં...
ધન્ય છે ભારત દેશના આવા સપૂતોને અને તેમની જનેતાઓને જે આવા વીરોને જન્મ આપે છે...! રંગ છે
જય હિંદ...! જય ભારત...! વંદે માતરમ્..!

No comments:

Post a Comment